Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં પાલેજ નજીક આવેલ કિસનાડ ગામે એક મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

પાલેજ નજીક આવેલ કિસનાડ ગામે પટેલ ફળિયામાં રહેતા હસમુખ પટેલના મકાનમાં ગત બુધવારની રાત્રે 8 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ પડોશ તેમજ આસપાસમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં જ ગામના સરપંચ કુણાલ પટેલ સહિત ગામ લોકો પટેલ ફળિયામાં દોડી આવ્યા હતા. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવના પગલે ભરૂચ અને ઝનોર એન.ટી.પી.સી.માંથી ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા, ત્યારે લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુ લેવામાં આવ્યો હતો.આગના કારણે મકાનમાં રહેલ તમામ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગ લાગવાનુ ચોક્કસ કારણ હજી સુધી જાની શકયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

હારુન પટેલ : ભરુચ

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોળ તાલુકાના આર્યુર્વેદીક દવાખાના વાંકલ અને કંટવાવ દ્વારા સૌપ્રથમવાર આર્યુર્વેદીક તાલીમ શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

આફતનો પુર : કાંઠે પાણીએ સર્જી તારાજી, ભરૂચના નદી કાંઠે ખેતરો થયા જળબંબાકાર.

ProudOfGujarat

પાલેજ હાઈસ્કૂલ ખાતે ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ દ્વારા CSR ગ્રાન્ટ હેઠળ રૂપિયા છ લાખ દસ હજારના વિવિધ સુવિધાના કાર્યો કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!