Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : રાજકીય કિસાન વિકાસ સંધ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રાજીનામાની માંગણી કરાઇ.

Share

આજરોજ વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો અંગેના ત્રણ કાયદા રદ્દ કરવા અંગેની જાહેરાત કરી હતી તેના પ્રત્યાઘાત પડયા હતા. રાજકીય કિસાન વિકાસ સંઘના પ્રમુખ અરવિંદસિંહ રણાએ જણાવ્યુ હતું કે ખેડૂતોનું આંદોલન ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે અને જે-તે સમતે ઘણી રાજકીય પાર્ટીઓએ અને સંગઠનોએ આ આંગે આવેદનપત્ર પાઠવી ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવા અંગેની માંગણી કરી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે-તે વખતે આ અંગે કોઈ ધ્યાન આપ્યું ન હતું.

પરંતુ હવે જયારે ઉત્તરપ્રદેશ, પંજાબ સહિત અન્ય રાજયોની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની આશ જણાય રહી છે ત્યારે ખેડૂતો અંગે ઘડાયેલા ત્રણ કાળા કાયદા રદ્દ કરી મતોનું રાજકારણ ગરમાય રહ્યું છે અને ખેડૂતો સાથે છેતરપિંડી કરાઇ રહી છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ હતું કે આ આંદોલનમાં જેમને શહીદી વ્હોરી તેમનું શું ? ખરેખર તો તમામ બાબતો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યુ કે ખેડૂતોએ તાપ,ઠંડી, વરસાદ તમામ કુદરતી આફતો વ્હોરી મોટી સંખ્યામાં મહિલાઓ થકી આંદોલન કરેલ છે ત્યારે હવે ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર મતોની લાલચે આ કાયદા પાછા ખેંચી લે જેથી સાબિત થાય છે કે તેઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતે વિવાદ વકરતા ચકચાર.

ProudOfGujarat

30 સપ્ટેમ્બર, 2021 ના રોજ સમાપ્ત થયેલા અર્ધ વર્ષની કામગીરી – આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ.

ProudOfGujarat

ગોધરા : એસ.ટી વિભાગમાં ફરજ બજાવતા ૧૬૦ કર્મીઓ કોરોના સંક્રમિત, 6 નાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!