Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ટંકારીયા ગામ ખાતે કેનાલ લીકેજ થવાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ નજીક ની સિમમાંથી પરીયેજ માઇનોર કેનાલ પસાર થાય છે, જે કેનાલમાં છેલ્લા કેટલાંય દિવસોથી લીકેજ થતા આસપાસના ખેડૂતોના ઉભા પાકને નુકશાની થવા પામી છે, ખેતરોમાં જળ ભરાવાના કારણે મગ સહિતના ઉભા પાકને નુકશાન થતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં લીકેજ અંગેની અનેકવાર તંત્રમાં રજુઆત કરી છે છતાં તે બાબતે તંત્રએ યોગ્ય ધ્યાન ન આપતા આખરે ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં જળ પ્રવેશી જવાના કારણે ખેતરોમાં જઈ શકાય કે પાક લઈ શકાય તે પ્રકારની સ્થિતિ રહી નથી જે બાદ ખેતરોમાં રહેલો મગ સહિતનો પાક પણ બગડી જતા ખેડૂતો પાયમાલ સ્થિતીમાં મુકાઇ ગયા છે.

અંદાજીત ૮ વીંગાથી વધુ જમીનમાં કેનાલના પાણી પ્રવેશી ચુક્યા છે, જે બાદ હવે અસરગ્રસ્ત ખેડૂતો તંત્ર સામે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે, ખેડૂતોનું જણાવવું છે કે જે સમયથી આ સ્થિતિનું સર્જન થયું છે ત્યારથી લઇ અત્યાર સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર તરફથી ઉડાવ જવાબો આપી મામલે કંઈ ધ્યાન ન આપતા આખરે લડતનું રનસીંગુ ફૂંકવામાં આવ્યું છે, અને જવાબદારો સામે પગલાં લેવા માટે પોલીસ મથક સહિતના વિભાગોમાં ફરિયાદની તજવીજ હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

નર્મદા જિલ્લામાં ગ્રાહકોને જાગૃત અને શોષણ મુક્ત બનાવવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની નર્મદામાં સક્રિય ભૂમિકા.

ProudOfGujarat

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો..!!

ProudOfGujarat

ભરૂચ : દહેજની ભારત રસાયણ કંપનીમાં ગેસ લીકેજ થતા દોડધામ, એક કામદાર ઘાયલ થતા સારવાર હેઠળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!