Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ પંથકમાં તસ્કરોનો તરખાટ…જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી એવાં દહેજ પંથકમાં તસ્કરોનો તરખાટ વધી ગયો છે. જેમ કે હાલમાં જ પણીયાદરા અને પાદરીયા ગામ વચ્ચે આવેલ સનસીટી સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નીશાન બનાવ્યા હતા. તસ્કરોના ચોરીના આતંકનો ભોગ બનેલ બે કુટુંબના રહીશોએ જણાવ્યું હતું કે તેઓ મકાન બંધ કરી બહારગામ ગયા હતા ત્યારે તસ્કરોએ તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં એક મકાનમાંથી રૂ.20,000 કરતાં વધુ રૂપિયા ચોરાયા છે જયારે બીજા મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને નાણાં મળી કુલ રૂ.1,25,000 ની ચોરી થઈ હતી એમ રહીશોએ જણાવ્યું હતું.

અત્રે નોંધવું રહ્યું કે દહેજ ઔદ્યોગિક નગરી અને આજુબાજુના વિસ્તારમાં શ્રમજીવી કુટુંબો તેમજ નોકરિયાત વર્ગો રોજીરોટી અર્થે સ્થાયી થયેલ છે તેઓ ઘણીવાર પોતાના મકાનોને તાળાં મારી વતન તરફ જતાં હોય છે ત્યારે બીજી તરફ તસ્કરો બંધ મકાનોની રેકી કરતાં હોય તેમ બંધ અકનોની સંપૂર્ણપણે માહિતી રાખી બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો ચોરીના બનાવોને અંજામ આપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 47 પ્રશ્નો રજૂ થયા જેમાંથી 42 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો

ProudOfGujarat

અંકલેશ્વર : રસ્તાને લગતી કામગીરીમાં બેદરકારી: ખાડાઓમાં મેટલના ઢગલા મૂકી તંત્ર ગાયબ

ProudOfGujarat

રાજપારડી : પ્રાંકડ ગામના ૨૨ યુવકો ૫ દિવસના બાઇક પ્રવાસે નિકળતા ગ્રામજનો દ્વારા વિદાય આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!