Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરાના કડોદરા ગામના લેન્ડલુઝર્સને નોકરી આપવા કલેકટરને રજુઆત…

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામની જમીનમાં આવેલ યુ.પી.એલ. – ૧૨ યુનિટમાં જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેઓના વારસદારોને નોકરી આપવવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે ગામના સરપંચ અને આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી 30 દિવસમાં કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે કડોદરાની સીમમાં ગામના ધરતીપુત્રો ખેતીની જમીન ધારણ કરતા હતાં. પરંતુ આ જમીન જી.આઈ.ડી.સી. દ્વારા સને – ૨૦૧૧ માં સંપાદન કરવામાં આવેલ છે અને જી.આઈ.ડી.સી. અને ખેડૂત ખાતેદારો વચ્ચે સ્પષ્ટતા થયા મુજબ આ જમીનમાં જે તે કંપની આવશે તેમાં જમીન ગુમાવનાર અથવા તેમના વારસદારને નોકરી આપવામાં આવશે. આ જમીનમાં યુ.પી.એલ. – ૧૨ યુનિટ કંપનીએ છેલ્લા બે – ત્રણ વર્ષથી પ્લાન શરૂ કરી તેઓનું પ્રોડકશન શરૂ કરી દીધેલ છે જેથી જમીન ગુમાવનાર ખેડૂતોએ નોકરી મેળવવા માટે કંપનીને તેમજ વિવિધ સ્તરે રજુઆત કરી હતી તેમ છતાં પણ જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેઓના વારસરદારોને કંપની દ્વારા નોકરી આપવામાં આવેલ નથી તેથી યુ.પી.એલ. યુનિટ -૧૨ ને હુકમ કરી દિન – ૩૦ માં જમીન ગુમાવનાર કે તેઓના વારસદારને રોજગારી અપાવવા યોગ્ય હુકમ કરવાની માંગણી ધરતીપુત્રો દ્વારા કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

આમોદ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી ઈદની ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ એક કોરોના સંક્રમિતનો કેસ મળી આવતાં જિલ્લામાં કુલ 55 લોકો સંક્રમિત થયા છે અને ચાર લોકોના મોત થયા હોવાની વિગતો મળી છે.

ProudOfGujarat

વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૧ મો પ્રાગટ્ય દિન ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!