Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શુકલતીર્થ ખાતે મકાનોમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

Share

ઉનાળાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લામાં અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, જિલ્લામાં એક માસમાં અનેક સ્થળે આગ લાગવાના બનાવો બનવા પામ્યા છે જેમાં વધુ એક ઘટના સામે આવી છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે આવેલ ખોડીબારા ફળિયામાં આજે મોડી સાંજે અચાનક એક મકાનમાં આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી,જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા હતા જોકે ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી.

Advertisement

અચાનક ગામમાં લાગેલ આગની ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર ભારે ટોળા જામ્યા હતા, આગની ઘટના અંગેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે,આગની ઘટનામાં મકાનમાં રહેલ ઘર વકરી બળીને ખાખ થતા મોટી નુકશાનીનું પણ અનુમાન સેવાઇ રહ્યું છે.

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

ગુજરાત આંગનવાળી કર્મચારી સંગઠન ભરૂચ એકમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીને આવેદનપત્ર પાઠવી પ્રશ્નો ઉકેલવા તાકીદ કરાઈ અન્યથા ૨૦ મી માર્ચ થી આંદોલન શરૂ કરવા અંગે ચીમકી અપાઈ

ProudOfGujarat

આધુનિક સમયમાં નિ:સહાય વૃદ્ધોનો સહારો બનતી વડોદરાની શ્રવણ સેવા સંસ્થા.

ProudOfGujarat

ગોધરા:રડીયાતા ગામે દેખાયેલા રીછે વનવિભાગને હાથતાળી આપીને જંગલમાં પલાયન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!