Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર લગાવાયેલ કલમો દૂર કરવાની માંગ સાથે રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર..!

Share

ગુજરાત રાજ્યમાં એક બાદ એક પરીક્ષાઓમાં ગેરરીતી અને પેપર ફૂટ્યા જેવા આક્ષેપો કરી ઘટનાથી લોકોને માહિતગાર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની થોડા દિવસો અગાઉ ગાંધીનગર ખાતે પોલીસ કર્મી પર ગાડી ચઢાવી દેવા જેવા ગુન્હામાં પોલીસે ધરપકડ કરી તેની સામે IPC 307 અને 332 જેવી ગંભીર ધારાઓ લગાવવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આજરોજ રાજપૂત કરણી સેના તેમજ વિવિધ સમાજના લોકોએ સાથે મળી મુખ્યમંત્રીને સંભોધિત એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યુ હતુ, જેમાં યુવરાજસિંહ જાડેજા સામે લાગેલ 307 અને 332 જેવી કલમોને પરત ખેંચવા સાથે તેમને રિલીઝ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ગોધરા: અપક્ષ ઉમેદવારોના ચુટણી કાર્યાલયના કાર્યક્રમમાં, જાણીતા ગુજરાતી ગાયક ઉમેશ બારોટ હાજર રહ્યા.

ProudOfGujarat

ભરૂચ એલ સી બી પોલીસે આઇસર ટેમ્પામાંથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપી પાડી રૂપિયા ૨,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો…

ProudOfGujarat

રાજપીપળામાં લોકડાઉન વચ્ચે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!