Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં લોકડાઉન વચ્ચે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

Share

એક તરફ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ બાબતે ચિંતિત છે,નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં લોકડાઉન અપાયું હોય ત્યારે મજૂરી કામ કરી પેટીયું રડતા ગરીબ લોકોની હાલત દયનિય હોય નર્મદા જિલ્લો પછાત વસ્તી ધરાવતો જિલ્લો હોવાથી અમુક લોકોની હાલત ખરાબ જોવા મળતા રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના સભ્યોને આ બાબત ધ્યાને આવતા આવા ગરીબ,ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરી વૈષ્ણવ વણિક સમાજના સભ્યો એ એક ઉમદા કાર્ય કર્યું હતું. આ સેવાકાર્યમાં તેમની સાથે કેટલાક જીઆરડી જવાનો પણ જોડાયા હતા.મંગળવાર અને લોકડાઉન સાથે શરૂ થયેલા આ કાર્યમાં એકજ દિવસમાં ૧૦૦ જેવા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે આ સેવાકાર્ય ફક્ત વૈષ્ણવ વણિક સમાજના સભ્યોના એકત્ર થયેલા ફંડમાંથી કરાયું હોય હજુ ૩૧ માર્ચ સુધી આ સેવાકાર્ય ચાલુ રહેશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ચેઇન સ્નેચીંગ ગુનામાં બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

વાગરાના વહીયાલ-કોઠીયા વચ્ચે ટ્રેકટર પલ્ટી મારતા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

છોટાઉદેપુર : સંખેડાના નાગરવાડા પાસે આવેલ ખેતરોનો ઊભો પાક ઉચ્છ નદીના પાણીમાં તણાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!