Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ડો. બાબા સાહેબ આંબેડકર વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ.

Share

તારીખ 14 એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ચિંતન પંડ્યા નામના ઇસમે સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર ડોક્ટર ભીમ રાવ આંબેડક સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરતા કાયદેસરની કાર્યવાહી કરવા ભરૂચના રાજેશ ખુમાણ અને અંકલેશ્વરનાં હરેશ છગનભાઈ પરમારએ પીઆઇ સમક્ષ માંગ કરી છે.

ગઈકાલે ૧૪ એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતી હોય જે નિમિત્તે સોશિયલ મીડિયામાં બાબાસાહેબના ચાહકો દ્વારા વિવિધ પોસ્ટ મૂકી આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ ફેસબુક પર ગઇકાલે ચિંતન પંડ્યા નામના શખ્સે ડોક્ટર ભીમ રાવ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ મૂકી તેમજ અનુસૂચિત જાતિને બંધારણમાં સમાવેશ કરાયો છે તે માટે પણ અભદ્ર વાણી વિલાસ આચરવામાં આવ્યો હોય આ સમગ્ર ઘટનાને અનુસૂચિત જાતિ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે. આ પ્રકારની ટીકા ટિપ્પણી કરી અનુસૂચિત જાતિને બદનામ કરવાનો ઇરાદો હોય જે પોસ્ટથી બાબાસાહેબ આંબેડકરનું અપમાન થયેલ હોય આથી આરોપી ચિંતન પંડ્યાની તાત્કાલિક ધરપકડ કરી એટ્રોસિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા સમક્ષ માંગ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું નિર્માણ કરાશે.

ProudOfGujarat

ભરૂચ : IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડનાર ઇસમને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ..!!

ProudOfGujarat

નર્મદા જિલ્લા પંચાયતની 10 જેટલી વિવિધ સમિતિઓની રચના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!