Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ભરુચ જીલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

Share

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભરૂચ, જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચ તથા એસ.વી.એમ. હાયર સેકન્ડરી સ્કૂલના સંયુકત ઉપક્રમે આજરોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું જીલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. ૨૦૨૨-૨૩ ના વર્ષ અંતર્ગત આ આયોજન ભરૂચની એસ.વી.એમ. હાયર સેકન્ડરી સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત ક‍ાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે આજે ગણિત અને વિજ્ઞાન થકી ભારતે પ્રગતિના પંથે હરણફાળ ભરી છે. જેના થકી જ વિશ્વના અગ્રીમ હરોળમાં ગણાતા દેશોની પંગતમાં બેસવાલાયક સ્થાન મેળવ્યું છે.વિશ્વના મોટો દેશો પણ કોરોના મહામારીમાં મંદીમાં સપડાયા હતા, પરંતુ આપણા દેશના અર્થશાસ્ત્રીઓની મદદથી આપણો દેશ જીડીપીની દરે વિશ્વની પાંચમા નંબરના ઈકોનોમી તરીકે ઉભરી આવ્યો છે, તે પણ એક ગૌરવપૂર્વક બાબત છે તેમ તેમણે જણાવ્યું હતું.આમ, ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોના કારણે દેશ મેક ઈન ઈન્ડિયાના સપના સહજતાથી સાકાર કરી શકશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે ગણિત અને વિજ્ઞાનના વિકાસની સાથે-સાથે પર્યાવરણની જાળવણી કરવા પર પણ ભાર મૂક્યો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પ્રાંસગિક પ્રવચનમાં ઉપસ્થિત વિધાર્થીઓને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે ગણિત અને વિજ્ઞાન વિષય ફક્ત કારકિર્દી બનાવવા માટે નહિ પરંતુ જીવન જીવવા માટે જરૂરી છે. આજે રાજ્યસરકાર શિક્ષણ વિભાગમાં સૌથી વધુ બજેટ ફાળવે છે ત્યારે શિક્ષકો પોતાનો પુરેપૂરો સમય વિદ્યાર્થીઓની કારકીર્દી ઘડવામાં ફાળવે તે ખુબ જ જરૂરી છે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોના સિંચન માટે પણ ખાસ ભાર મુક્યો હતો. આ પ્રસંગે ભરૂચ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય પી બી .પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ભરૂચ જીલ્લામાં સીઆરસી કક્ષાએ ૩૫૦ કૃતિઓ નોંધાઈ હતી. આજના જીલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ૪૫ જેટલી કૃતિઓ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી પ્રદર્શન માટે પસંદગી પામી હતી. આયોજિત કાર્યક્રમમાં જીલ્લાના તમામ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભવોને આ પ્રદર્શનના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર, સંસ્થાના ચેરમેન જીવરાજભાઈ , ડાયટના પ્રાચાર્ય કલ્પનાબેન ઉનડકટ, એસ.વી.એમ. હાયર સેકન્ડરી સ્કૂલ શાળાનો પરિવાર સહીત પ્રદર્શનની નિર્ણાયક અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલ નજીક ટેન્કરોમાંથી કેમિકલની ચોરીમાં સંડોવાયેલ નાસ્તા-ફરતા આરોપીની અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે…

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આદિવાસી સર્વાંગી વિકાસ મંચ, વાંકલ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ તથા પેરા મિલેટ્રીના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!