Proud of Gujarat
FeaturedGujaratINDIA

પત્નીની નજર સામે જ પતિએ બાઇક પરથી ઉતરી ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી લેતા ચકચાર

Share

ભરૂચ-અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ મોતનો બ્રિજ બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બ્રિજ પર અવારનવાર સર્જાતા અકસ્માતના બનાવો તેમજ આત્મહત્યાના બનાવોનું ચલણ સતત સામે આવી રહ્યું છે, બ્રિજ પરથી નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે રહેતા કે.પી સીંગ તેની પત્ની જોડે ભરૂચ ખાતે સંબંધીને ત્યાં અંતિમ ક્રિયામાં બારમા ની વિધિમાં આવ્યા હતા જ્યાંથી મોડી સાંજે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કે પી સિંગ એ નર્મદા મૈયા બ્રિજ પર અચાનક બાઇક ઉભી રાખી દીધી હતી અને ત્યારબાદ નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું.

Advertisement

પત્નીની નજર સામે જ પતિએ ઝંપલાવી દેતા પત્ની દ્વારા બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા અને આ અંગે સામાજિક કાર્યકરને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક નૌકા સંચાલક અને ફાયર ટીમને જાણ કરતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તો શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જોકે નર્મદા નદીમાં ઝંપલાવનાર કે.પી સિંગ એ કયા કારણોસર નર્મદા નદીમાં ઝંપલાવ્યું એ જાણી શકાયું નથી, પોલીસ વિભાગ દ્વારા હાલ કે.પી સિંગની પત્નીની પૂછપરછ હાથધરી મામલા અંગેની વધુ તપાસ શરૂ કરી નર્મદા નદીમાં કે.પી સિંગની શોધખોળ હાથધરી હતી.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

પીજીઆઇએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સ્મોલ કેપ ફંડએ એનએફઓમાં રૂ.578 કરોડ ભેગા કર્યા.

ProudOfGujarat

એન.સી.સી. સ્ટુડન્ટ દ્વારા બનાવેલ માસ્ક સુરેન્દ્રનગર નગરપાલિકાને અર્પણ કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર અને વાલિયા તાલુકાના વિસ્તારોમાંથી પસાર થતી આમલાખાડી ઉભરાય, કોયલી અને ધતૂંરીયા ગામની સીમમાં પાણી ફરી વળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!