Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કેનાલમાં પડેલા ગાબડાના કારણે પાક નષ્ટ થતાં ખેડૂતોએ વળતરની માંગ સાથે આવેદન પાઠવ્યું.

Share

સરદાર સરોવર નિગમની મુખ્ય કેનાલ અમલેશ્વર બ્રાન્ચની કેનાલમાં ડભાલી ગામ નજીક મોટું ગાબડું પડ્યું છે અને ગાબડાના કારણે ખેડૂતોના ખેતરમાં જળબંબકાની સ્થિતિ ઊભી થતા ખેડૂતોએ વળતરની માંગ સાથે ભરૂચ કલેકટર ગજવી છે અને સાથે નગરપાલિકાએ પણ નગરજનોને અપાતો પાણી પુરવઠા ઉપર કાપ મુકવામાં આવ્યો છે જેના કારણે ભરૂચ જિલ્લામાં જળસંકટના એંધાણો વર્તાઈ રહ્યા છે.

રાજપીપળાથી વાગરા દહેજની ઔદ્યોગિક વસાહતને જોડતી સરદાર સરોવરની મુખ્ય કેનાલ અમલેશ્વર બ્રાન્ચની ૭૦ કિલોમીટરની કેનાલ જર્જરીત બની છે જેના પગલે ભરૂચ તાલુકાના ડભાલી ગામ નજીક કેનાલમાં મોટું ગાબડું પડવાના કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતોએ પણ પાલમાલ થવાનો વારો આવ્યો છે અને ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે જ્યારે પાક તૈયાર થયો ત્યારે જ કેનાલમાં ગાબડું પડ્યું અને સમગ્ર લાખો કરોડો રૂપિયાની ખેતીને નુકસાન થયું છે જેના પગલે ખેડૂત હોય વળતરની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. વળતર નહીં ચુકવાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ આપી દીધી છે.

Advertisement

ભરૂચ નજીક ડભાલી ગામ પાસે કેનાલમાં ગાબડું પડવાના કારણે ભરૂચવાસીઓને પણ જળ સંકટ ઊભું થયું છે કારણ કે આ જ કેનાલ મારફતે અમલેશ્વરની બ્રાન્ચમાંથી ભરૂચ નગરપાલિકા પાણી પુરવઠો ભરૂચવાસીઓને પૂરું પાડતી હતી કેનાલ મારફતે પાણી માતરીયા તળાવ અને માતરીયા તળાવથી ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચી ભરૂચવાસીઓને પૂરું પાડવામાં આવતું હતું. પરંતુ અમલેશ્વરની મુખ્ય કેનાલમાં જ ગાબડું પડવાના કારણે મરામત માટે સમય લાગી શકે તેવું હોવાના કારણે નગરપાલિકાએ ભરૂચવાસીઓને અપાતો પાણીના પુરવઠા ઉપર કાપ મૂક્યો છે અને માત્ર એક જ ટાઈમ પાણી આપવામાં આવનાર છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થઈ શકે છે હજુ ૧૦ દિવસ જેટલો ગાબડા પૂરવાને સમય લાગે તેવી ભીતિ વચ્ચે પાણી પણ કરકસર કરીને વાપરવા માટે વોટર કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ શહેરીજનોને અપીલ કરી છે.


Share

Related posts

નડિયાદની જે એન્ડ જે કૉલેજ ઑફ સાયન્સ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પશુ દવાખાના દ્વારા વર્લ્ડ રેબિઝ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે માજી નગર સેવક મનહર પરમારની પસંદગી કરવામાં આવતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!