Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચનાં ગોડીજી પાર્શ્વનાથ જિનાલય ખાતે જૈનાચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદર મહારાજ એ પ્રવચન કર્યું

Share

ભૃગુકચ્છની ભવ્ય ધરા પર પધારી શ્રોતાજનોને પ્રવચન શ્રેણીની પાવનતાનો સ્પર્શ કરાવતી વાણી દ્વારા આજે જૈનાચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદર મહારાજે “જીવનની કક્ષા ૬ તબક્કામાં બદલાય છે” તે વિષે છણાવટ કરતા કહ્યું કે : શાંતિ માટેનો પ્રથમ તબક્કો છે.

“નો કંપલેઇન” : જીવનમાં હંમેશા ફરિયાદ જ કરતા રહેવાની વૃત્તિ ન હોવી જોઇએ. કોઇ ઘટના ઘટે તે આપણા હાથની વાત નથી, પણ ઘટનાનું અર્થઘટન કરવું આપણા હાથની વાત છે.
બીજો તબક્કો છે “નો કંપેરિઝન” : જીવનમાં ક્યારેય કોઇની સાથે હરિફાઇમાં ન ઉતારવું, જો સરખામણી કરવી જ હોય તો તમારી ગઇકાલની, સરખામણી આજ સાથે કરો. વધુમાં ઉમેરતા તેઓ શ્રી એ જણાવ્યું કે શાંતિ માટેનો ત્રીજો મહત્વનો મુદ્દો છે “નો કોમ્પ્લીકેશન” : પસંદગીના ક્ષેત્રે ગૂંચવણ ઉભી ન કરો. જેટલા પસંદગીના વિકલ્પો વધુ એટલી ગૂંચવણો વધુ. પસંદગીના જેટલા વિકલ્પો ઓછા એટલી શાંતિ વધુ.
ચોથો તબક્કો છે “નો કોમ્પીટીશન. : જીવનમાં હરીફને પછાડવા કરતા ખુશી પૂર્વક તેઓને આગળ વધવા દેવામાં સાચી શાંતિ અને ખુશી મળે છે.
પાંચમાં તબક્કામાં આવે છે “નો કોમ્પ્લીમેન્ટ” : પ્રસંશાની ભૂખ ન રાખો પોતાની જાતની પ્રસંશા વિશે માણસ જેટલો વિશાળ બંને છે, તેટલો જ સાંકડો તે પરોપકાર કરવામાં રહે છે.
“નો બેડ કંપની” : છેલ્લે અત્યંત મહત્વના તબક્કા વિશે સમજાવતા પૂ. ગૂરૂદેવે જણાવ્યું કે, જીવનમાં ખરાબ સંગત ટાળવી જોઇએ. મનુષ્ય પાપ ક્યારેક એકલો કરી લે પણ દૂર્વ્યસન અને પાયમાલીના રસ્તે તેને ખરાબ સંગત જ લઇ જાય છે.
આવતી કાલે પણ નિયત સમયે અને સ્થળે પ્રવચન શ્રુંખલાની આગલી કડીનો લાભ લેવા આયોજક મિત્રો જાહેર આમંત્રણ પાઠવે છે.

Advertisement

Share

Related posts

સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલી કાઢવામાં આવી.

ProudOfGujarat

હાલોલની સરસ્વતી શાળાના શિક્ષકે વિધાર્થીને માર મારતા કાન-નાક માથી લોહી નીકળ્યુ.

ProudOfGujarat

થામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નિપજ્યા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!