Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાંથી પસાર થતા એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતોના વળતરનો મામલો, ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ કરાઈ અટકાયત

Share

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ૫ દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન પર બસે તે પહેલાં જીલ્લાના અંદાજીત ૧૫૦ ખેડૂતોની હંગામી અટકાયત કરાઇ છે, અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકની હદમાં આવતા એક્સ્પ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનાર અંદાજીત ૫૦ જેટલા ખેડૂતોની અટક કરાઇ છે.

ખેડૂતો એ રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે તીખા પ્રહારો કરી સંવેદનશીલ સરકાર ની સંવેદના ભરૂચના ખેડૂતો માટે નહીં હોવાનું નિવેદન આપ્યું છે, સાથે જ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અંગ્રેજોની ગુલામીમાં અઝાદી ઇચ્છતા મહાત્મા ગાંધી આંદોલન કરી શકતા હતા પણ ભરૂચમાં ખેડૂતોને પોલીસના જોરે આંદોલન પણ નથી કરવા દેવામાં આવતા તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ભરૂચ જિલ્લામાં જમીન વળતરની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ખેડૂતોએ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં અપાયેલ ચૂકવણાની બાબતને આગળ ધરી તંત્ર તેઓને પણ યોગ્ય ચુકવણું આપે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી જે બાદ આજે ખેડૂતો કલેકટર કચેરી એ આંદોલન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.


Share

Related posts

રિઝર્વ બેંક બેન્કિંગ સિસ્ટમમાં ૧ લાખ કરોડ ઠાલવશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ, વિઝિબ્લિટીમાં ઘટાડો થતા વાહન વ્યવહારને થઈ અસર

ProudOfGujarat

સુરતઃબે બાળકની માતા જયપુરની ડયુઆથ્લોનમાં લેશે ભાગ, રોજ 4 કલાક કરે છે પ્રેક્ટિસ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!