Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે ધો. 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન અપાયું

Share

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના જુદા જુદા વિસ્તારના સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શૈક્ષણિક કારકિર્દીમા માર્ગદર્શન મળી રહે તે માટે યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે રૂબરૂ મુલાકાત કરાવી હતી જેમાં યુપીએલ યુનિવર્સિટીના રજીસ્ટર ધર્મેશ પટેલે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી તેમની કારકિર્દીના યોગ્ય અને ઉજળા ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ યુપીએલ યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ કોર્સ કોર્સની માહિતી પૂરી પાડી હતી અને યુનિવર્સિટીના અલગ અલગ ફેકલ્ટીની વિઝીટ કરાવી હતી. આ તમામ કાર્યક્રમ માટે ધર્મેશ પટેલ, વાઈસ કાઉન્સિલર સાહેબ તેમજ અન્ય સ્ટાફ ગણે જરૂરી માહિતી પૂરી પાડી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા, ઈશા મેવાડા, નીતાબેન બારસાગવાલા, વૈશાલીબેન ચંદેલ, અમિતાબેન રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં સત્તાવાર સક્રિય થઇ શકે છે, મર્હુમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ..?

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેન અડફેટે અજાણ્યા અાધેડનું કરૂણ મોત…

ProudOfGujarat

અંકલેશ્વર ઓ.એન.જી.સી કોલોની નજીક આવેલ કોસ્મોસ સોસાયટીમાં અજાણ્યા ઇસમોએ વાહનોમાં તોડફોડ કરતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!