Proud of Gujarat
FeaturedGujaratINDIA

જન આક્રોશ બાદ જન પ્રતિનિધિઓ જાગ્યા – ભરૂચ ઝાડેશ્વર તવરા રોડનું સમારકામ શરૂ કરાયું

Share

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અનેક સ્થળોના માર્ગ બિસ્માર અવસ્થામાં બન્યા છે, માર્ગ બિસ્માર બની જતા વાહન ચાલકો તેમજ આસપાસ વસ્તા સ્થાનિકોને ખુબ મુશ્કેલી ઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો, જેને લઈ અનેક સ્થળે તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, તાજેતરમાં જ પ્રથમ વરસાદી માહોલ બાદ ઝાડેશ્વરથી તવરાને જોડતો માર્ગ ખાડામય બન્યો હતો તેમજ વરસાદી પાણીનો ભરાવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

તંત્રમાં અનેક રજુઆતો છતાં કોઈ કામગીરી ન થતા આખરે સ્થાનિકોએ કંટાળી રવિવારના રોજ રસ્તા ઉપર ઉતરી આવી વહેલી તકે કામગીરી કરવાની ચીમકી તંત્ર સામે ઉચ્ચારમાં આ આવી હતી, ત્યારબાદ આજ રોજ તંત્ર એ મોડે મોડે જાગવું પડ્યું હતું અને પ્રજાના આક્રોશ સામે ઘૂંટણીએ પડી કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે તવરા માર્ગ સહિત અનેક એવા વિસ્તારો છે જ્યાં આજે પણ માર્ગોની ખસતા હાલત સમાન સ્થિતિ થઈ છે ત્યારે ભરૂચનું વહીવટી તંત્ર આ પ્રકારના માર્ગોનું વહેલી તકે સર્વે કરાવી તેનું રીપેરીંગ કાર્ય શરૂ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શાકભાજીની લારી અંગેનો વિવાદ.

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી ગામની ફાટક પાસે એક શખ્સએ માર્ગમાં રૂપિયાની માંગણી કરી ચપ્પાના ઘા ઝીંકી ફરાર.

ProudOfGujarat

GSPCના એમ.ડી. અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ :  તા. ૩૦ જૂન સુધી નવા PNG કનેક્શન પર ₹૫૦૦ ડિસ્કાઉન્ટ : ગ્રાહકોને રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!