Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુરમાં પીર ખોજનદીશા બાવાના ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

Share

ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત હઝરત પીર ખોજનદીશા બાવાની દરગાહ આવેલ છે જેમાં દરેક જ્ઞાતિના લોકો આસ્થા ધરાવે છે. આજે ગુરુવાર 14 સપ્ટેમ્બર 2023 ના રોજ ખોજનદીશા બાવાનો ઉર્ષ ઉજવાય રહ્યો છે ત્યારે ગઈકાલે 13 સપ્ટેમ્બર 2023 ની રાત્રે ઈશાની નમાઝ પછી કુરાન ખાની રાખી હતી જે પછી નબીપુર દાવળશા સ્ટ્રીટમાંથી તેમનો સંદલ નીકળ્યો હતો જે ગામના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે પહોંચ્યો હતો. જ્યા ઉપસ્થિત જનમેદની વચ્ચે નબીપુર જુમ્મા મસ્જિદના ઇમામ સૈયદ ગુલામ રસુલ કારનટવી, શિનોરના ગાડી નશીંન સમસાદ બાવા, અમદાવાદ શાહ વજીહુદ્દીન આસ્થાના ગાદી નશીનો, ટંકારીઆના પાતરાવાળા બાવા અને આમંત્રિત સૈયદોના હસ્તે સંદલ ચડાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દરેક જ્ઞાતિના ભાવિકોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી. સંદલની વિધિ પછી દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેફિલે શમાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેનો લ્હાવો ભાવિકોએ લીધો હતો. દરગાહ અને તેના પટાંગણમાં રંગબેરંગી લાઇટની રોશનીમાં ઝગમગી ઉઠયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપળા : રાયોટીંગ તેમજ છેતરપિંડીનાં ગુનાનાં કામનાં બે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

ProudOfGujarat

અંકલેશ્વર ના પીરામણ ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પર એક યુવાને ટ્રેન સામે આત્મહત્યા કરી પોતાનું જીવન ગુમાવ્યું…

ProudOfGujarat

वलसाड मैं तेज बारिश के दौरान तंत्र की खुली पोल..open link must see this video

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!