Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સ્થિત કન્યાશાળામાં સખીદાતા તરફથી આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ તથા પાણીનું કુલર દાન કરાયું

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કન્યાશાળામાં નગરના સખીદાતા તરફથી શાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ તેમજ પાણીનું કુલર દાન કરવામાં આવ્યું હતું. કન્યાશાળામાં બાળકોને પીવાના પાણીની તકલીફ પડી રહી હતી. જે ધ્યાને આવતા નગરના સંજરી પાર્ક વિસ્તારમાં રહેતા સખી દાતા ઈમ્તિયાઝભાઈ સૈયદ તરફથી શાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીના કુલરનું દાન કરવામાં આવ્યું હતું.

કન્યાશાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીનું કુલરની વ્યવસ્થા કરવામાં આવતા કન્યાશાળામાં અભ્યાસ કરતા બાળકોને પીવાના પાણીની પડી રહેલી તકલીફ દુર થશે. આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીનું કુલર દાન કરી સૈયદ ઈમ્તિયાઝભાઈ અન્યો માટે પ્રેરણાદાયી બન્યા છે. શાળા સંચાલકો દ્વારા સખી દાતા ઈમ્તિયાઝભાઇ સૈયદનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગોકુળ આઠમની રથયાત્રા યોજાઇ

ProudOfGujarat

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત દીકરી દિવસ નિમિતે 181 અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા

ProudOfGujarat

ઝઘડીયાના મુલદ ખાતે પેઇન્ટિંગ કામનો વર્ક ઓર્ડર આપી બીલ ન ચુકવતા બે ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!