Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સ્થિત કન્યાશાળામાં સખીદાતા તરફથી આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ તથા પાણીનું કુલર દાન કરાયું

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કન્યાશાળામાં નગરના સખીદાતા તરફથી શાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ તેમજ પાણીનું કુલર દાન કરવામાં આવ્યું હતું. કન્યાશાળામાં બાળકોને પીવાના પાણીની તકલીફ પડી રહી હતી. જે ધ્યાને આવતા નગરના સંજરી પાર્ક વિસ્તારમાં રહેતા સખી દાતા ઈમ્તિયાઝભાઈ સૈયદ તરફથી શાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીના કુલરનું દાન કરવામાં આવ્યું હતું.

કન્યાશાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીનું કુલરની વ્યવસ્થા કરવામાં આવતા કન્યાશાળામાં અભ્યાસ કરતા બાળકોને પીવાના પાણીની પડી રહેલી તકલીફ દુર થશે. આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીનું કુલર દાન કરી સૈયદ ઈમ્તિયાઝભાઈ અન્યો માટે પ્રેરણાદાયી બન્યા છે. શાળા સંચાલકો દ્વારા સખી દાતા ઈમ્તિયાઝભાઇ સૈયદનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

આખરે મગર પાંજરે પુરાયો – ભરૂચ, અંકલેશ્વર માર્ગ પર ખાડીમાં દેખાઈ દેતો મગર પાંજરામાં આવ્યો

ProudOfGujarat

ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત “ગ્રામ જાગૃત કિશોરીઓ” એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી

ProudOfGujarat

વિરમગામ પાણી પુરવઠા ના હાંસલપુર જુથના હેડવર્કસ મા નવી એજન્સી થી કોન્ટ્રાક્ટ બદલાતા 70 થી વઘુ કામદારો ને કાઢી મૂકાતા રોષ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!