Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં પૂર પીડિતોને કેશડોલ સહાય ચૂકવાઇ, તંત્ર દ્વારા સર્વે બાદ સહાય પક્રિયા ઝડપી શરૂ કરી

Share

નર્મદા નદીમાં આવેલાં પૂરના કારણે ભરૂચ જિલ્લામાંથી 6 હજાર કરતાં વધારે લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યાં હતાં. જિલ્લામાં 4,062 પૂર અસરગ્રસ્તોને રૂ. 9.11 લાખની કેશડોલ ચૂકવવામાં આવી છે. નર્મદા નદીના પૂરને કારણે ભરૂચના 6, અંકલેશ્વરના 15 , ઝઘડિયાના 12, હાંસોટના 1 અને વાગરાના 1 મળી કુલ 35 ગામમાં વ્યાપક નુકસાન થયું છે.

આ અસરગ્રસ્ત ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાત-દિવસ સતત કામગીરી કરી કેશડોલ અને ઘરવખરી સહાય ચુકવવા માટે સર્વે હાથ ધરી કેશડોલ ચૂકવવામાં આવી છે. અત્યાર સુધીમાં પૂરઅસરગ્રસ્ત ગામોના 4062 લોકોને કેશડોલ પેટે રૂ 9.11 લાખની સહાય ડીબીટી મારફત ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત બાકી લોકોને કેશડોલ ચૂકવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા લોકજનશક્તિ પાર્ટીનાં ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ પરમારની નિમણૂક કરાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામા ગામડે ગામડે જઇ ઘેર-ઘેર સર્વે કરી સહાય અપાવા માટે જાતે ફોર્મ ભરી મદદરૂપ થતી નિર્ભયા સ્કવોર્ડ.

ProudOfGujarat

ઝઘડિયા પીએચસીએ પોલિયો રસીની ૯૨ ટકા કામગીરી સંપન્ન કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!