Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં પૂર પીડિતોને કેશડોલ સહાય ચૂકવાઇ, તંત્ર દ્વારા સર્વે બાદ સહાય પક્રિયા ઝડપી શરૂ કરી

Share

નર્મદા નદીમાં આવેલાં પૂરના કારણે ભરૂચ જિલ્લામાંથી 6 હજાર કરતાં વધારે લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યાં હતાં. જિલ્લામાં 4,062 પૂર અસરગ્રસ્તોને રૂ. 9.11 લાખની કેશડોલ ચૂકવવામાં આવી છે. નર્મદા નદીના પૂરને કારણે ભરૂચના 6, અંકલેશ્વરના 15 , ઝઘડિયાના 12, હાંસોટના 1 અને વાગરાના 1 મળી કુલ 35 ગામમાં વ્યાપક નુકસાન થયું છે.

આ અસરગ્રસ્ત ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાત-દિવસ સતત કામગીરી કરી કેશડોલ અને ઘરવખરી સહાય ચુકવવા માટે સર્વે હાથ ધરી કેશડોલ ચૂકવવામાં આવી છે. અત્યાર સુધીમાં પૂરઅસરગ્રસ્ત ગામોના 4062 લોકોને કેશડોલ પેટે રૂ 9.11 લાખની સહાય ડીબીટી મારફત ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત બાકી લોકોને કેશડોલ ચૂકવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

વિરમગામ ના સચાણા ગામ ખાતે શ્રી કેશર કુંભ કુટુંબ યાત્રા નું પુજન કરી ઉમકળાભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ વોર્ડની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક ટ્રકે રીક્ષાને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!