Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરી દ્વારા જન જાગૃતિ અભિયાન રેલી યોજાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરી દ્વારા પાલેજ ખાતે જન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઇ હતી. વીજ સલામતી તેમજ વીજ અકસ્માત ટાળવા માટે તેમજ લોકોમાં જન જાગૃતિ લાવવાના હેતુ સાથે રેલી યોજાઇ હતી. પાલેજ ઓવરબ્રિજ પાસેથી ડી જી વી સી એલ ના ડેપ્યુટી એન્જિનિયર જયેશ એન. ત્રિવેદીના અધ્યક્ષતામાં નીકળેલી રેલી નગરની મધ્યમાં આવેલા તળાવ સુધી પહોંચી ત્યાંથી પરત ફરી હતી.

આયોજિત જન જાગૃતિ અભિયાન રેલીમાં ડી જી વી સી એલ ના કર્મીઓએ હાથમાં વીજ સલામતીના પ્લે કાર્ડ દર્શાવી લોકોને જાગૃત કર્યા હતા. સાથે સાથે વીજ ઉપકરણો કઇ રીતે ઉપયોગમાં લેવા તે વિશે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. વીજ ઉપકરણોની સલામતી માટે તેમજ વીજ લક્ષી અકસ્માતો ટાળવા માટે ઇ એલ સી બી નો વધુમાં વધુ ઉપયોગ કરવા પર વિશેષ ભાર મુકયો હતો. જન જાગૃતિ અભિયાન રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

આજરોજ ભરૂચના ફલશ્રુતિનગર સ્થિત આર.કે.કાસ્ટા ખાતે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરની ઓ.પી.ડી. સેવાનો શુભારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

દેહરાદૂન ખાતે યોજાયેલ યોગ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમે મેળવી આગવી સિદ્ધિ

ProudOfGujarat

ભંગારીયા બેફામ – હમ નહીં સુધરેંગે, અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે રાત્રીના અંધારામાં કચરો સળગાવી થતું વાયુ પ્રદુષણ, મામલે તપાસ જરૂરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!