Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરના હરીપુરા ગામે મકાનો માં આગ,શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અન્ય બે મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા

Share

અંકલેશ્વરના હરીપુરા ગામે મકાનો માં આગ,શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અન્ય બે મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા

ભરૂચ જિલ્લા માં ચાલુ વર્ષગાળા નાં સમય દરમ્યાન આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે, ખાસ કરી ઉનાળા ની ઋતુ દરમ્યાન કેટલાય વિસ્તારોમાં અગ્નિ તાંડવઃ જોવા મળી ચુક્યો છે, તેવામાં અંકલેશ્વર પંથક માંથી વધુ એકવાર આગ લાગવાની ઘટના પ્રકાશ માં આવી હતી,

Advertisement

અંકલેશ્વર નાં હરિપુરા ગામ ખાતે એક મકાન માં અચાનક આગ ભભુકી ઉઠી હતી,એક મકાન માં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય બે મકાનો પણ આગ ની ઝપેટ માં આવ્યા હતા, ઘટના નાં પગલે ઉપસ્થિત લોકો નાં ભારે નાશભાગ મચી જવા પામી હતી,

જે બાદ સમગ્ર મામલા અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર નાં લાશકરો એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો, જોકે સમગ્ર ઘટના ક્રમ માં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી જેને લઈ ઉપસ્થિત લોકોએ પણ રાહત નો શ્વાશ લીધો હતો


Share

Related posts

સુરેન્દ્રનગર મહા શિવરાત્રી પર્વ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ.

ProudOfGujarat

રાજપીપલાના સેવાભાવી જગતાપ દંપત્તિએ 61 વર્ષની વયે રક્તદાન કરીને સમાજને અનોખો મેસેજ આપ્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણે દેડીયાપાડાના મતદાન મથકોની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!