Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આશુરા પર્વ નિમિત્તે દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આશુરા પર્વ નિમિત્તે દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું…

મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ વલણ સ્થિત વલણ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું. આશુરા પર્વ એ મુસ્લિમ સમુદાયના લોકો માટે એક અતિ મહત્વ ધરાવતું પર્વ છે. કરબલાના શહીદોની સ્મૃતિમાં દર વર્ષે પરંપરાગત રીતે આશુરા પર્વની મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા જરૂરતમંદોને મદદરૂપ બની એક સરાહનીય કાર્ય કરવામાં આવે છે. જે અંતર્ગત ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા દ્વારા પાલેજ તેમજ વલણ સ્થિત હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ કરી એક સુંદર સરાહનીય કાર્ય કરી અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરાયું.

ProudOfGujarat

વડોદરા : દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ફતેગંજ પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : ઈકો ક્લબ અને પર્યાવરણ પ્રયોગશાળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!