વકફ બીલને લઇને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. મુસ્લીમ પર્સનલ લો દ્વારા મળેલાં આદેશાનુસાર મુસ્લીમ સમાજે 30 એપ્રિલે રાત્રે મુસ્લીમ સમાજ દ્વારા પોતાના ઘર-વ્યવસાયીક સ્થળની લાઇટ 15 મિનિટ માટે બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
દેશભરમાં હાલમાં વકફ અને યુસીસી બીલને લઇને ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે મુસ્લીમ પર્સનલ લો દ્વારા 30 એપ્રિલની રાત્રે 9 વાગ્યેથી 15 મિનિટ સુધી મુસ્લીમ સમાજના લોકો દ્વારા વીજ પુરવઠો બંધ રાખવા માટેની સુચના આપવામાં આવી હતી. જેના પગલે ગઇકાલે રાત્રીના સમયે સમાજના લોકોએ 9 વાગ્યે લાઇટ બંધ કરી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મુસ્લીમ સોસાયટીઓમાં રહેતાં લોકોએ આ વિરોધમાં જોડાઇને વીજ પુરવઠો બંધ રાખતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો હતો. ભરૂચના કોંગ્રેસના આગેવાન ઇબ્રાહિમ કલકલે મુસ્લીમ સમાજના લોકોએ વકફ અને યુસીસીના વિરોધમાં વીજ પુરવઠો બંધ રાખવાના વિરોધ પ્રદર્શનમાં સહકાર આપતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
