ભરૂચ.
મહારાષ્ટ્રના પાલઘર ખાતે રહેતાં અમરીશ છોટેલાલ રાજપૂતને કાનપુર તેમના વતનમાં કામ હોવાથી તેઓ ચાલું ટીકીટ લઈને અવધ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠાં હતાં. અંકલેશ્વર સ્ટેશન આવતાં તેમણે પેનલ્ટી ભરીને એસ-૫ નંબરના ડબ્બામાં સીટ મેળવતાં તેઓ તેમાં બેસવા જઈ રહ્યાં હતાં. તે વેળાં ભીડભાડમાં કોઈએ તેમના ખીસ્સામાંથી તેમનો મોબાઈલ તેમજ રોકડા રુપિયાની ચોરી કરી રહ્યક્કર થઈ ગયો હતો. બનાવને પગલે તેમણે ભરૂચ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
