સરકારના આત્મા પ્રોજેકટ દ્વારા આપવામાં આવતી તાલીમોથી પ્રાકૃતિક ખેતીને મળ્યો વેગ
1 ભરૂચ ।
ઝઘડીયા તાલુકાના પાલેયા ગામના ખેડૂત દિશીત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પહિતીથી પાકૃતિક ખેની હારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. મરચાની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂા.૫ થી ₹ લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે સાથે જ પ્રાકૃતિક કૃષિ થકી પ્રકૃતિનું જતન પણ કરી રહ્યા છે.
બી.એસ.સી. કેમીસ્ટ સાથે સ્નાતક થયેલા ઝપડીયા તાલુકાના પાણૈયા ગામના ખેડૂત દિક્ષીત રમેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, ૨૦૦૮ ના વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું. તે સમયે મને નોકરી પણ મળી શકે તેમ હતી પરંતુ ખેતીમાં વધુને વધુ રસ લેવાથી હું ખેતી તરફ વળ્યો હતી. શરૂઆતમાં હું શસાયણિક ખેતી કઓ પરંતુ છેલ્લા ૪ વર્ષથી મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કયું છે તેના પરીણામે ગુજાવત્તા યુક્ત ઉત્પાદન પણ મેળવી રહ્યો છે.
તેમની પ્રાકૃતિક ખેતીના અનુભવ વર્ણવતા ઉમેઘું હતુ કે, શરૂઆતમાં બે વર્ષ પાકૃતિક કૃષિથી ઓછું ઉત્પાદન થયુ હતુ પરંતુ બાદમાં ઉત્પાદન વધતુ જાય છે અને બર્ચ શૂન્ય થાય છે સાથે જમીન પણ ફળદ્રુપ જળવાઈ રહે છે. આત્મા પ્રોજેકટ અંતર્ગત અમને જે રીતે તાલીમ આપવામાં આવતી તે રીતે કૃષિ કરતો ગયો. તેમજ ૭ વીઘા જમીનમાં મિશ્ર પાક પદ્ધતિથી પાક ઉત્પાદન મેળવી રહ્યો છું ચાલુ વર્ષે લીધેલા મરથીના
પાકમાંથી મને પાંચ લાખ રૂપીયાનો નફો થવો છે. તેમણે ભારપુર્વક કહ્યુ હતુ કે, જો આજે આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો જ આવતી પેઢી માટે જમીન બચાવી શકીશું.
