વાંકલ
ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” દ્વારા વિશ્વને અદમય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે ત્યારે ભારત માતાના સપૂતોને વંદન કરવા, ભારતીય સેનાના સન્માન માટે ઉમરપાડા તાલુકા મથકના બજાર વિસ્તારથી બસ સ્ટેન્ડ સુધી ની તિરંગા યાત્રા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના નેતૃત્વ હેઠળ યોજવામાં આવી હતી.આ યાત્રામાં અમીષ વસાવા,શાંતિલાલ વસાવા, રાજુ વડપાડા,હરીશભાઈ,શામશિંગ વસાવા, તાલુકા પંચાયત ના સભ્યો, કાર્યકરો અને આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.
Advertisement
