Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નાંદ ગામના સરપંચ સહિત 50 થી વધુ લોકો ભાજપા છોડી કોંગ્રેસમાં પ્રવેશ્યા.

Share

ભરૂચ તાલુકા અને ભરૂચ શહેરની પેટાચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડીને મહત્વના લોકો આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે ત્યારે શહેર પ્રમુખ પરિમલસિંહ રાણા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિકોરા પેટાચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી જે રીતે વિસ્તારની અંદર મહત્વના આગેવાનો, કાર્યકર્તાઓની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું તે રીતે ભરૂચ ભાજપા પર ભરોસો રહ્યો નથી.

ત્યારે નાંદ ગામના સરપંચ, તથા નિકોરા સીટ ઉપરથી પ્રફુલભાઈ લીંબચીયા જેઓ બક્ષિપંચ મોરચાના તાલુકાનાં મુખ્ય પદ રહ્યા છે. નરેન્દ્ર મોદી વિચાર મંચ પર પણ તેઓએ કામ કર્યું છે તે જ રીતે ભરૂચ શહેરના પણ અનેક લોકો જેમ કે રાજેશભાઈ વસાવા, હરેશભાઈ વસાવા, શૈલેષભાઈ તે સાથે 50 જેટલા લોકો આજરોજ કોંગ્રેસ સાથે જોડાયા હતા. આજરોજ સાંજે નિકોરા પેટા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જે તે વિસ્તારના 100 થી વધારે કાર્યકર્તાઓ આજરોજ ભાજપા સાથે છેડો ફાડી અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા હતા.

આ કાર્યક્રમ દરમિયાન પરીમલસિંહ રણા, વિક્કી શોખી, સંદીપ માંગરોલા, હેમેન્દ્ર કોઠીવાલા, સલિમ અમદાવાદિ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આમોદ કાકુજીની વાડી ખાતે વિપક્ષી નેતાનો કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દહેજમાં ટ્રકે દંપતીની બાઈકને ટક્કર મારી, મહિલા કચડાઈ; સારવાર માટે હોસ્પિટલોના ધક્કા વચ્ચે મોત : વાડિયા ચોકડી પાસે પાછળથી આવેલી ટ્રકે બાઈકને અડફેટે લીધી, પતિ ઈજાગ્રસ્ત

ProudOfGujarat

કરજણ વિસ્તારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પડતી વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!