Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગુમાનદેવનાં મહંતે લૂંટારુ ટોળાં પર રૂ. 5.80 લાખની લુંટની નોંધાવી ફરિયાદ

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ગઇકાલે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત બાદ અકસ્માતના બહાને ગુમાનદેવ મંદિરની આસપાસ વસવાટ કરતાં લોકોએ ગુમાનદેવ મંદિરના મહંત પર હીચકારો હુમલો કર્યો હતો.

ઝઘડિયામાં આવેલા ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાયને ગઇકાલે આ રોડ પર બનેલા અકસ્માતના પગલે મારમારી અને લુંટ ચલાવી હતી, આ બનાવ બાદ આજે ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં આવેલ મંદિરના મહંત દ્વારા 8 વ્યક્તિ ઉપરાંત 50 થી 60 લોકોના ટોળાં વિરુદ્ધ લુંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરિયાદમાં ગુમાનદેવ મંદિરના મહંતે જણાવ્યુ છે કે, ગઇકાલે થયેલા અકસ્માતના બહાને અહીંના વિસ્તારના રહેવાસીઓએ ટોળું રચી કાવતરા સાથે મારા પર હુમલો કર્યો હતો, આ હીચકરા હુમલામાં રૂ.1 લાખની સોનાની ચેન, 4.50 લાખની રોકડ રકમ અને હનુમાનજીની મંદિરની મુર્તિના ચાંદીની પાટ કિ.રૂ. 30 હજાર મળી કુલ રૂ. 5.80 લાખની લુંટ ટોળાં દ્વ્રારા કરવામાં આવી છે આ લુંટ વિષે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગુમાનદેવ મંદિરમાં બનેલા ગઇકાલના બનાવના પગલે ઝઘડિયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગુમાનદેવ મંદિરના મહંતને ટોળાં દ્વારા જે હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં મહંતને શરીરે મુંઢમાર ઘા વાગ્યા હોવાથી તેમને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


Share

Related posts

ભરૂચ : લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલ બે ટ્રક ઝડપી પાડી, લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સમિતીની મળેલી બેઠક.

ProudOfGujarat

દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લોકોએ જંબુસર ના સારોદ ગામ ના વતની એક વ્યક્તિને ગોળી મારી હત્યા કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!