Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હરિયાણાની ઘટનાનાં પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુસ્થાન નિર્માણ દલ દ્વારા કલેકટરને આવેદન.

Share

ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હરિયાણામાં લવ જેહાદમાં ભોગ બનેલી છાત્રાને બે લવ જેહાદી દ્વારા કરેલી હત્યાના વિરોધમાં આજે સવારે ભરૂચ કલેક્ટર સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી હતી, આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર હિન્દુ પરિષદે હરિયાણામાં બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યુ છે કે દેશમાં હિન્દુ બહેન, દીકરીઓને રક્ષા આપવી જોઈએ, આ બનાવમાં કોલેજમાંથી પરત ફરતી છાત્રા સાથે જાહેરમાં બંદૂકની ગોળી મારી જે હત્યા નીપજાવવામાં આવી છે તેના આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા ફટકારવા માંગણી કરી છે.

હિંદુસ્તાન નિર્માણદળ દ્વારા હરિયાણામાં બનેલી લવજેહાદની ઘટનાના પગલે કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર હરિયાણાના વલ્લભગઢમાં કોલેજની હિન્દુ છાત્રાને લવજેહાદીઓએ જાહેરમાં બંદૂકની ગોળી મારી હત્યા કરી જે અત્યંત દુ:ખદ બનાવ છે. આ ઘટનાના વિરોધમાં દેશમાં હિન્દુ બહેન, દીકરીઓ માટે રક્ષણની માંગણી સાથે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં કડક કાયદો ઘડવામાં આવે તેવી માંગ કરી છે અને હરિયાણાના વલ્લભીપુરની છાત્રાના પરિવારજનોને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે

Advertisement

Share

Related posts

નડિયાદના કપડવંજ રોડ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એકનું મોત

ProudOfGujarat

જનતા કરફર્યુંમાં બંધ શહેરના માર્ગો આજે ફરી ધમધમી ઉઠયા જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ હોવા છતાં તંત્ર તેનું પાલન કરાવવામાં નિષ્ફળ જોવા મળ્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં દશામાંની મૂર્તિ વિસર્જન બાબતે ભકતજનો મૂંઝવણમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!