Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં આઠમ પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે કોરોના ગાઈડલાઇન સાથે માં અંબા જગદંબાની શક્તિનું પર્વ એવાં નવરાત્રિ મહોત્સવની ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવણી થઈ રહી છે. કોરોનાની ગાઈડલાઇનનાં પગલે લોકો સામૂહિક રીતે નહીં પરંતુ પોત-પોતાના નિવાસસ્થાને સાદગીથી પરંતુ ભક્તિનાં ઉમંગભેર નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. તેમાંય આજે તા. 24-10-2020 નાં શનિવારે પવિત્ર આઠમનાં દિવસે ભરૂચ સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિર દાંડિયાબજાર ખાતે વહેલી સવારથી ભક્તજનો માતાજીનાં દર્શન કાજે કોરોના ગાઈડલાઇન મુજબ ઉમટી પડયા હતા અને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે કેટલીક ધાર્મિક વિધિઓ પણ યોજાઇ હતી જેનો લાભ ભકતજનોએ લીધો હતો. કોઈપણ પરિસ્થિતીમાં ભરૂચ જીલ્લામાં માતાજીનાં ભકતોમાં ધાર્મિક ઉમંગ અને ઉત્સાહ એ જ રહે છે. આઠમનાં દિવસે ભકતોએ માતાજીને પ્રાર્થના કરી હતી કે માં શક્તિ બતાવો અને કોરોનાને વિશ્વમાંથી ભગાડો.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અખિયાણા ગામ પાસે એસ.ટી. બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત-સાત લોકો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

કોમી એકતાના પ્રતિક સમાન હાંસોટના  40 માં ઉર્સ ની ઉજવણીમાં હજારોની સંખ્યા માં  હિન્દૂ મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા મીની અજમેર તરીકે ઓળખાતા હાંસોટ ની છોટુબાવા ની દરગાહ ખાતે હિન્દૂ મુસ્લિમ બિરાદરો સાથે મળી ને ઉર્સ શરીફ ની ઉજવણી કરે છે 

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લામાં એકતા યાત્રાનો પ્રારંભ મંત્રી જયદ્રથ સિંહ પરમારે વેજલપુરથી રથનું કરાવ્‍યું પ્રસ્‍થાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!