પાવરગ્રીડની વીજ લાઈનના વળતરને લઈને આંદોલનની ચીમકી
ભરૂચ.
પાવરગ્રીડ સાઉથ ઓલપાડ-વડોદરા ૭૫ર કેવીની વીજ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ લાઈન ભરૂચ તાલુકામાં આવેલાં ૨૧ ગામોમાંથી પસાર થનાર છે, ત્યારે તેને લઈને કોઠી ગામે ૨૧ ગામના સરપંચોની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચો અને આગેવાનો હાજર રહ્યાં હતાં.

બેઠકમાં દરેક અસરમસ્ત ગામના સરપંચો તેમજ આગેવાનોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમજ આગામી દિવસોમાં જે વીજ લાઈન નાંખવામાં આવશે તેનાથી ધનાર નુકસાનને લઈને ખેડૂતોને અસર થશે. ત્યારે આવા સમયે તંત્ર સામે લડી લેવાની તૈયારી બતાવવા સાથે સૌએ મળી તે માટેના શપથ લીધાં હતાં. વીજ કંપનીઓ સામે જિલ્લા વહિવટી તંત્ર લાચાર બનીને એક તરફી નિર્ણય લેતાં હોવાનો રોષ પણ તેમણે ઠાલવ્યો હોત, તેમજ આગામી દિવસોમાં આ મામલે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની રૂપરેખા તૈયાર કરવાની પણ કવાયત તેમણે શરુ કરી હતી.
