Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દબાણ દૂર કરવા ગયેલી ક્રેઇન વરસાદી કાંસમાં ખાબકી

Share

ભરૂચ કોલેજ રોડ પરની હોટલોએ જાતે દબાણ દૂર કર્યાં
ભરૂચ.
ભરૂચ શહેરમાં ગઇકાલે વહિવટી તંત્ર દ્વારા એબીસી ચોકડીથી કસક સુધીના વિસ્તારમાં દબાણો દૂર કરવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જોકે, ભોલાવ એસટી ડેપો સામે આવેલાં ખેટલા આપા-દ્વારકાધિશ સહિતની હોટલના સંચાલકો તેમજ નજીકમાં જ આવેલાં સ્વરાજ ટ્રેક્ટરના શોરૂમના સંચાલક દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે એક દિવસની મોહલત માંગી હતી.
દરમિયાનમાં આજે તેઓ દ્વારા જાતે જ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવાની કવાયતમાં જોતરાયાં હતાં. ભરૂચના એસડીએમ મનિષા માનાણી તેમજ તેમની ટીમે પણ દબાણો દૂર કરવાની કાર્યવાહીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. અરસામાં એક જેસીબી દ્વારા સ્વરાજ ટ્રેક્ટર પાસે બનાવાયેલી દિવાલ ક્રેઇન દ્વારા તોડવાની કવાયત ચાલી રહી હતી. તે વેળાં એક તરફ ક્રેઇન દિવાલ તોડી રહી હતી તે વેળાં અચાનક ક્રેઇન જ્યાં ઉભી હતી ત્યાં નીચેની વરસાદી કાંસની ગટરનું કોંક્રિટ તુટી જતાં ક્રેઇન ગટરમાં ફસાઇ ગઇ હતી. ત્યારે બાદમાં ક્રેઇનને યેનકેન પ્રકારે બહાર કાઢવામાં આવી હતી.

Share

Related posts

નર્મદા નદીમાં પાણી છોડવાને લઈને તિલકવાડાના વાસણા ગામના રહીશોને જાણ કરાઇ

ProudOfGujarat

ભરૂચ પોલીસ હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા તાલીમ વર્ગની પૂર્ણાહુતી નિમિત્તે પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

ProudOfGujarat

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!