Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના અંગારેશ્વર ગામે મહિલાના ઘરમાં ઘુસી 7 શખ્સોએ મારઝૂડ કરી, ઘરમાં તોડફોડ કરી 

Share

ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં અંગારેશ્વર ગામે ઘરમાં એકલી મહિલાના ઘરમાં સાતેક શખ્સોએ ઘુસી જઇ તેને બહાર કાઢી માર માર્યો હતો. તેમજ તેના ઘરની તોડફોડ કરી હતી. ઇજાગ્રસ્ત મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવમાં આવી છે. જોકે, મહિલાના પતિએ આક્ષેપ કર્યો હતો કે, મિલકતના દાવાને લઇને કોર્ટમાં દાવા કરવામાં આવ્યાં હતાં. જોકે, દાવા અરજીમાં મહિલાના પરિવારની તરફેણમાં કોર્ટે હુકમ કર્યો હતો. દરમિયાનમાં ગુરુવારે મહિલા તેના બે બાળકો સાથે ઘરમાં એકલી હતી. તે વેળાં તોસીફ, શબ્બીર, સબુ, સલીમ તેમજ મોઇન સહિતનાઓએ તેમના ઘમાં ઘુસી આવ્યાં હતાં. તેઓએ મહિલાને બળજબરીથી ઘરની બહાર કાઢી તેને મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ તેની સાથે છેડતી કરી હતી. બનાવને પગલે તેઓએ નબીપુર પોલીસ મથકે જાણ કરવા છતાં તેમણે કોઇ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. ઉપરાંત હુમલાખોરોએ બે દિવસ પહેલાં જ ઘર ખાલી કરી નાંખજો, નહીંતર મારી નાંખીશું તેવી ધમકી આપી હોવાનું પણ મહિલાએ જણાવ્યું હતું.

Share

Related posts

ભરૂચ-તવરા નદી કાંઠે મગર દેખાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું, સાવધાની માટે લગાવાયા બોર્ડ

ProudOfGujarat

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

બ્રિજ ભૂષણની ધરપકડની માંગ મુદ્દે ખાપ પંચાયતનું હરિયાણા બંધનું એલાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!