Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયને ડીઇઓની નોટિસ : છાત્રોને પોતાની શાળામાંથી નોટબુક-સ્ટેશનરી ખરીદવા ફરજ પાડતાં હતાં

Share

ભરૂચ.

ભરૂચ શહેરમાં ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય દ્વારા તેમની શાળામાં અભ્યાસ કરતાં છાત્રોને શાળાના નામ અને લોગોવાળા નોટબુક છપાવીને  તે વિતરણ કરવામાં આવતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી છે. અને સંસ્થા સામે કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે એક દિવસમાં બિનચૂક રીતે લેખિતમાં ખુલાસો આપવા તાકીદ કરી છે.
ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુએકશ એક્ટ 2009ના ઠરાવમાં જણાવ્યાનુંસાર કોઇ પણ શાળા બાળકોને અમુક એજન્સી મારફત લેખન સામગ્રી ખરીદવા કે ચોક્કસ છાપની બનાવટની લેખન સામગ્રી ખરીદવા દબાણ નહીં કરી શકાય. જે અંગે તાજેતરમાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ દરેક શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને તાકીદ કરતું સર્ક્યુલર બહાર પાડ્યું હતું. દરમિયાનમાં ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય દ્વારા તેમના શાળામાં પ્રવેશ મેળવનારા અને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પોતાની સંસ્ાથાના નામ અને લોગોવાળા નોટબુક છુપાવી તે જ લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને મળી હતી. જેના પગલે શિક્ષણાધિકારીએ જરૂરી તપાસ કરાવતાં મામલામાં તથ્યતાં જણાતાં શાળા સંચાલકોને નોટિસ ફટકારી છે. સંસ્થા સામે કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે એક દિવસમાં બિનચૂક રીતે લેખિતમાં ખુલાસો આપવા તાકીદ કરી છે.
Advertisement

Share

Related posts

દહેજમાં ૪૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરુ કરવા સીએમ-પીએમને પત્ર

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન ચરસ કાંડમાં 15 વર્ષની સખત કેદ : મહિલા-પુરુષ દોષિત, એક લાખ દંડની સજા

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી શાળા નંબર 6 નાં બાંધકામમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!