Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામદારનું અકસ્માતમાં મોત

Share

ભારે પવનને કારણે 10 ટનનો રેન્કનો ઘોડો પડતાં કામદાર ઘવાયો હતો
ભરૂચ.
દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામ કરતો કામદાર બિપીન અજય મંડળ ગઇકાલે સાંજે કંપનીમાં કામ કર્યાં બાદ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં હાથપગ ધોઇને કંપનીમાંથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં ભારે પવન ફૂંકાવાને કારણે નજીકમાં પડેલો રેન્કનો ઘોડો તેના પર પડતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર વેળાં મોત થયું હતું. બનાવની જાણ થતાં તેના પરિવારજનો પણ આવી ગયાં હતાં. ત્રણેક મહિનાથી તે કંપનીમાં કામ કરીરહ્યો હતો. ત્યારે  મૃતકના પરિવારને 10 લાખની સહાય તેમજ તેના પરિવારને દર મહિને 30 હજાર આપવામાં આવે તેવી માગ કરી હતી. જોકે, કંપની સત્તાધિશોએ તેમને 10 લાખનું વળતર ચુકવવાની બાંહેધરી આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના દેહનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

માંગરોળ તાલુકા ઝંખવાવ જિલ્લા પંચાયત સીટનાં 200 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ની ગાર્ડનસીટી સોસાયટી ના રહીશ ના ધાબા પરથી તમંચો તેમજ બે કારતુસ મળી આવવા ના પ્રકરણ માં ચકવાનારો ખુલાસો થયો છે..હથિયાર ની બાતમી આપનાર શખ્સે જ તમંચો અને કારતુસ મુક્યા હોવાનું એસ ઓ જી ની તપાસ માં બહાર આવ્યું હતું……….

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસનાં કાર્યકર સંદીપ માંગરોલાએ કોવિડનાં દર્દીઓની મુલાકાત લઈ તાત્કાલિક સારવાર આપવા સિવિલ હોસ્પિટલનાં RMO સમક્ષ માંગણી કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!