ભરૂચ
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરાયું હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ શહેરમાં નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોને તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરમાં આશ્રય સોસાયટી પાસે ચાવજને જોડતો રોડ, કલેક્ટર કચેરી પાસે, પંડિત ઓમકારનાથ હોલ કોલેજ રોડ વગેરે જેવા વિવિધ વિસ્તારોમાં જરૂરીયાત મુજબ નગરપાલીકા ટીમ દ્નારા સીસી વર્ક, પેચ વર્ક, વેટમિક્સ મટીરિયલ, પેવિંગ બ્લોક વગેરે કામગીરીને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ છે અને ટ્રાફિક વ્યવહાર પણ સુચારુ બન્યો છે વાહન ચાલકોને તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
