ભરૂચ જિલ્લાના ચાચેવલ ગામના અંદાજે 35 થી 40 વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે, જેમાં તેમણે દૈનિક પરિવહનની સમસ્યાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેઓ દરરોજ ભણવા ગામથી બહાર જતા હોય છે, પરંતુ સારા અને નિયમિત વાહન વ્યવસ્થાના અભાવે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન સમસ્યાના કારણે તેમના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે અને શિક્ષણમાં વિક્ષેપ ઉભો થયો છે. તેમણે માંગણી કરી છે કે, અનુરૂપ વાહન વ્યવસ્થા તાત્કાલિક પૂર પાડી આપવામાં આવે.
Advertisement
વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે, જો આવનારા 7 દિવસમાં તેઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂખ હડતાળ અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે
