ભરૂચ.
ભરૂચ શહેરને કચરાપેટી મુકત બનાવવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના તમામ 11 વોર્ડમાં મુકવામાં આવેલી 100 જેટલી કચરાપેટીઓ ઉઠાવી લેવાની કામગીરી કરવામાં આવી છે. શહેરને ગંદુ બનાવનારાઓને શોધવા સેનેટરી ઇન્સપેકટરોને જવાબદારી સોંપવામાં આવી છે. ભરૂચની જનતાએ જાગવું પડશે આપણું ભરૂચ સ્વચ્છ રાખવું હોય તો જેવા આપણા પોતાનાઘર સફાઈથી સારું રાખો છો તેવી જ રીતના જ આપણા આજુબાજુના વિસ્તારોને પણ સ્વચ્છ રાખીએ સુંદર બનાવીએ જનતાએ પણ સાથ સહકાર આપવો પડશે હાલમાં જ સુરતની અંદર મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ મુરમુર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું સુરત શહેરને નંબર વન સ્વચ્છતા નો એવોર્ડ આપવામાં આપણે ભરૂચવાસીઓ આનાથી બાકાત કેમ રહીએ આપણે પણ ભરૂચ ને નંબર વન બનાવવો હોય સહકાર આપવો પડશે. ઉપરાંત જાહેરમાં કચરો નાખતાં ઝડપાશો તો 100 થી 500 રૂા.નો દંડ ફટકારાશે
Advertisement
