Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાની વિલાયત ચોકડી ખાતે યુવા કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનમાં 18 કોંગી આગેવાનોની અટકાયત

Share

ભરૂચ.

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા દેરોલથી વિલાયત સુધીના બિસ્માર માર્ગને લઈને ગુરૂવારે વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરાયું.

Advertisement

ભરૂચ જિલ્લામાં બિસ્માર માર્ગોના સમારકામને લઈ કોંગ્રેસ દ્વારા અગાઉ નેત્રંગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ ભરૂચ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી. તે સમયે અધિકારીએ દિન 7માં બિસ્માર માર્ગોના સમારકામની બાંહેધરી આપી હતી, પરંતુ
વારંવાર R & B અધિકારીઓ યોગ્ય ધ્યાન નહીં આપતા આજરોજ પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ, જાબીર પટેલ, અક્ષયસિંહ રાજ સહિતના કોંગ્રેસીઓએ વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું. તાત્કાલિક દેરોલથી વિલાયત સુધી, વાલિયા-અંકલેશ્વર માર્ગ તેમજ જંબુસર રોડ સહિત અન્ય બિસ્માર માર્ગોની મરામતની માંગ કરી. જો સમારકામ નહિ કરાઈ તો ભરૂચ-અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની કચેરીઓને તાળાં બંધીની ચીમકી ઉચ્ચારી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા 18 જેટલા કોંગી આગેવાનોની વાગરા પોલીસે અટકાયત કરી હતી.


Share

Related posts

છોટાઉદેપુર : સિઝનમાં પહેલી વખત ઓરસંગનો જોજવા આડબંધ ઓવરફ્લો થયો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ઉમરપાડા ગામનાં સરપંચ શ્રી રમીલા બેન વસાવાનાં હસ્તે વિધવા બહેનો અને જરૂરિયાત મંદ લોકોને 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર- સ્ટેશન વિસ્તાર નજીક ગટરના ગંદા પાણી ભરાતા ગણેશ ભક્તો અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી, અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર ને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!