ભરૂચના ઝાડેશ્વર રોડ પર ઓરિયન્ટ માર્કેટ પાસેની ઘટના
ભરૂચ.
ભરૂચના તવરા રોડ પર આવેલાં આર કે કાઉન્ટી ખાતે રહેતાં હરેશ અશ્વિનચંદ્ર ખત્રી દહેજની એનએસીએલ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 2મીઅ તેઓ તેમના કામઅર્થે તેમની કાર લઇને વડોદરા ગયાં હતાં. તેમની સાથે તેમની પત્ની તેમજ પુત્ર પણ ગયાં હતાં. તેમનું કામ પુર્ણ થતાં તેઓ રાત્રીના સમયે પરત ઘરે જઇ રહ્યાં હતાં. તે વેળાં જ્યોતિનગરથી ઝાડેશ્વર જવાના રોડ પર ઓરિયન્ટ માર્કેટ પાસે તેમણે કાર ઉભી રાખી હતી. તેમના પરિવાર માટે તેઓ રોડની બીજી તરફ ચાલતાં જઇ બદામશેક લેવા માટે ગયાં હતાં. જ્યાંથી તેઓ પરત આવી રહ્યાં હતાં. તે વેળાં એક બાઇક ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની બાઇક હંકારી લાવી તેમને ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
