Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા નદીમાં 4.36 લાખ ક્યુસેક પાણી છોડાશે, તટના વિસ્તારના લોકોને સાવચેતીના સૂચનો

Share

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ:

ભરૂચ.

Advertisement

નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં હાલમાં પાણીની આવક અને સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. હાલમાં ડેમની સપાટી 133.02 મીટર છે, જયારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં કુલ 7697.20 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો સંગ્રહ છે, જે 81.37% ક્ષમતા સાથે ભરાયું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની પાણીની સપાટીમાં 2.44 મીટરનો વધારો નોંધાયો છે. હાલ ડેમમાં પાણીની આવક 4,74,093 ક્યુસેક છે, જેમાંથી 2,86,962 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જયારે કેનલમાં 5985 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

મહત્વપૂર્ણ જાહેરાત:
બપોરે 3 વાગ્યા પછી નર્મદા નદીમાં 4,36,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીના કાંઠે વસવાટ કરતા નાગરિકોને સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો પોતાનું રક્ષણ કરી લે અને તંત્ર સાથે સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

મોરબી નગરપાલિકાની વેરા વસુલાત ઝુંબેશ, ૨૫૦ થી વધુ આસામીઓને આપી નોટીસ

ProudOfGujarat

વિશ્વ પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરનાં કપાટ અષાઢી અમાસ દીવાસાના દિવસે ભક્તોના દર્શન માટે ફરીથી ખુલશે…

ProudOfGujarat

ખેલ રત્ન અવોર્ડ હવે રાજીવ ગાંધીને બદલે ધ્યાનચંદના નામે અપાશે: PM મોદીએ કરી જાહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!