મંદિરમાં પુંજાપાનો ઢગલો એકત્ર કરતાં ભક્તોને ભારે મુશ્કેલી સર્જાઇ
ભરૂચ.
દસ દિવસ પૂજન અર્જન બાદ દસ દિવસનું અસ્તિત્વ માન્યા બાદ આજે વહેલી સવારે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત દ્વારા હાલમાં નર્મદામાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા છે જે ભરૂચમાં 20 ફૂટ પાણીની સપાટી વટાવી ગયું છે ત્યારે આવી પરિસ્થિતિમાં ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ પર મધ્યરાત્રીએ થી જ દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આ દરમિયાન કોઈ અનિષ્ટ બનાવ ના બને જેને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું

સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ દશામાની મૂર્તિઓ પર લગાવેલા સુંદરી હાર મારાઓ સહિતના શણગારો ઉતારવામાં આવ્યા હતા. પરંતુ સેવાભાવી સંસ્થાઓ માત્ર જરૂર જેવી જ વસ્તુઓ ઉતારી લઈ જાય અન્ય ચીજ વસ્તુઓના ઢગલે ઢગલા નીલકંઠેશ્વર પટ આગળમાં જ રહેવા દેતા હાલ શ્રાવણમાં ચાલી રહ્યો છે અને આવતીકાલે શ્રાવણ માસ નો બીજો સોમવાર ત્યારે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાંથી શિવ ભક્તો નીલકંઠેશ્વર મહાદેવ ના દર્શન કરવા આવતા હોય છે ત્યારે આવા ઢગલામાં દુર્ગંધ મારતા અનેક ભક્તોએ નારાજગી વ્યક્ત કરી હતી
