ભરૂચ
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી સીતારામ સેવા ટ્રસ્ટ, આઈ.ટી.આઈ.ની સામે વાલીયા, જી. ભરૂચ ખાતે ભવ્યતાથી કરવામાં આવનાર છે. જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓના રિહર્સલ અને નિદર્શન કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત શાળાના બાળકોએ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, દિલ્લીના નશામુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત નશામુક્ત ભારત અંગેના શપથ લેવામાં આવ્યા હતા. યુવાનોમાં જાગૃકતા કેળવાય તેવા આશ્રયથી નશામુક્તિ તેમજ નશીલા પદાર્થોથી થતા નુકશાન વિશે માહિતગાર કરાયા હતા.
Advertisement
