Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાના વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરવાની શંકાએ જી.પી.સી.બીએ તપાસ હાથ ધરી હતી.

Share

અંકલેશ્વર

વાલિયા તાલુકામાં અવાવરું જગ્યા પર હેઝાર્ડ વેસ્ટ (અપાયોજનક કચરો) ખાલી કરવાના મામલા અગાઉ પણ સામે આવ્યા છે. હવે, ફરી એકવાર વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ રીતે હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક ખેડૂતો અને સભાસદોએ જ્યારે આ અંગે શંકા વ્યક્ત કરી અને ગંભીરતા દેખાડી, ત્યારે તેમણે ગુજરાત પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) ખાતે જાણ કરી હતી. મળેલી જાણકારીના આધારે GPCBની ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પરની પરિસ્થિતિની તપાસ શરૂ કરી હતી.  ટીમે કેમિકલ જેવી શકયતા ધરાવતા સફેદ રંગના વેસ્ટના નમૂનાઓ એકત્ર કરી, તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ ખેડૂત સમાજમાં ભય અને ઉદ્વેગનો માહોલ સર્જાયો છે. હાલના પરિસ્થિતિમાં ખેડૂતો તેમની જમીન અને પાકને નુકસાન થવાની શક્યતા રહે છે.
Advertisement

Share

Related posts

અંકલેશ્વરના અમરાવતી પુલ પર ટેમ્પો અને બસ વચ્ચે અકસ્માત..

ProudOfGujarat

વડોદરા : અકોટા-દાંડિયાબજાર માર્ગ પર રેલીંગ અને ખુલ્લી ગટર અકસ્માતનું કારણ બની શકે છે..!!

ProudOfGujarat

જંબુસરમાં નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!