અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી અંતર્ગત સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું. આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક સમુદાય વચ્ચે એકતા અને શાંતિનો સંદેશ ફેલાવવાનો હતો સામૂહિક પાઠમાં પોલીસ ઇન્સ્પેકટર વી.યુ.ગડરીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આસપાસના વિસ્તારના લોકોએ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો.
Advertisement
