Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાશે, કાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા અપાયું એલર્ટ !

Share

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે.ડેમમાં ઉપરવાસમાંથી 3.90 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેના પગલે ડેમની જળ સપાટી 136. 76 મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 10:00 વાગ્યા બાદ તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થાય તેવી શક્યતા છે. નર્મદા નદીની જળ સપાટી તેના 22 ફૂટના વોર્નિંગ લેવલ સુધી પહોંચે તેવી શક્યતાના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો અને ગામ લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમ 94% ભરાઈ જતા હવે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે

Advertisement

Share

Related posts

વાંકલ : રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળની બંને મહત્વની માંગણીનો સ્વીકારાઈ : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી.

ProudOfGujarat

વડતાલ પોલીસે બે મહિલાઓને ચોરીના ૨.૪૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

ProudOfGujarat

અંકલેશ્વર : અજાણ્યા ઇસમે એક યુવકને માથામાં સિમેન્ટનો બ્લોક મારતા મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!