ભરૂચમાં સનાતન ગણેશ મહોત્સવ 2025નું ભવ્ય આયોજન,
ભરૂચ,
“બોલ સે ભરૂચ” ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રૂપે સનાતન ગણેશ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં શહેરના વિવિધ ગણેશ મંડળોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
હંમેશાની જેમ આ વર્ષે પણ જ્વાલેશ્વર બોયઝ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. તેમના સુંદર અને કલાત્મક પંડાલને ખૂબ વખાણ મળ્યા હતા અને પરિણામે શ્રેષ્ઠ પંડાલ કેટેગરીમાં તેમને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે બોલ સે ભરૂચ ટીમના સભ્ય તથા ભરૂચના વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ અડવાણીના હસ્તે જ્વાલેશ્વર બોયઝને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આવિધિ ભરૂચના સાંસ્કૃતિક ચેતનાનો પ્રતિબિંબ છે અને ભવિષ્યમાં પણ આવા આયોજન થકી યુવાનોમાં સમાજસેવા અને સન્માનની ભાવના વધુ મજબૂત થાય તેવી આશા સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
