અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આજરોજ કલેકટરના જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યો હતો.ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આજ રોજ રાત્રિના સમયે 15 જેટલી ખાનગી લક્ઝરી બસ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર કરવામાં આવી હતી જેના પગલે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને અન્ય વાહન ચાલકો અટવાયા હતા. નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના કારણે સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિને નિવારવા માટે ભરૂચ કલેક્ટરે બ્રિજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આમ છતાં ખાનગી લક્ઝરી બસ પસાર કરવામાં આવી હતી આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાનગી લકઝરી બસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે શ્રવણ તીર્થ દર્શન યાત્રા અંતર્ગત સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા યાત્રાળુઓને અંબાજી અને વડનગરના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા ત્યારે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આ બસ પસાર કરવામાં આવી હતી જેના પગલે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પરથી એક પછી એક 15 લકઝરી બસ પસાર કરતા ચક્કાજામના દ્રશ્યો, કલેકટરના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન !
Advertisement
