ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકામાં રતનપુર નજીક આવેલા પહાડ પર આવેલી પ્રાચીન હઝરત બાવાગોરની દરગાહ ખાતે આવતા 786મા ઉર્સ નિમિત્તે તા. 18 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ બપોરે 3 વાગ્યે પરંપરાગત ચસ્મો (પાણીનો કુંડ) વધાવવાની વિધિ યોજાશે.આ ધાર્મિક વિધિ વડોદરાના હઝરત કમાલુદ્દિન બાવા તથા દરગાહના ગાદીનશીન હઝરત જાનુબાપુના હસ્તે ફૂલ ધાણી અને નાળિયેર અર્પણ કરીને પારંપરિક રીતિ-રિવાજ મુજબ અદા કરવામાં આવશે.અંદાજે 800 વર્ષ જૂની આ દરગાહે દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે ચસ્મો વધાવવાની પરંપરા નિભાવવામાં આવે છે. આ દિવસે દરગાહ પર ભવ્ય મેળો યોજાય છે, જેમાં રાજ્ય તેમજ બહારગામથી હજારો ભાવિકો ઉપસ્થિત રહી આ પાવન વિધિમાં જોડાઈ ધન્ય બનતા હોય છે.યાત્રાળુઓની સુવિધા માટે ઝઘડિયા તથા રાજપારડી માર્ગેથી ખાસ વાહન વ્યવસ્થા કરવામાં આવી છે…
Advertisement
:- યાકુબ પટેલ..પાલેજ…
